Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક સહિત ચારે હુમલો કર્યાનું જણાવાયુંઃ
જામનગર તા.૧૦ ઃ કલ્યાથપુરના મોટા આસોટા ગામમાં પ્રેમલગ્નના મામલે રવિવારે સાંજે બે વ્યક્તિ પર સાત શખ્સના ટોળાએ હુમલો કરતા એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. તેની ફરિયાદ સામે હુમલાખોર પક્ષના એક વ્યક્તિએ વળતી ફરિયાદ નોંધાવી છે. તેઓએ પ્રેમલગ્નના ખારના કારણે પોતાના પર મૃતક તથા અન્ય ત્રણે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામમાં રવિવારે સાંજે પીએચસી સેન્ટરની પાછળ આવેલા કેન્દ્રમાં ડાવાભાઈ રણમલભાઈ સંધીયા તથા નગાભાઈ સંધીયા પર સાત શખ્સના ટોળાએ હુમલો કરી મારકૂટ કરતા ગંભીર ઈજા પામેલા ડાવાભાઈનું મૃત્યુ નિપજ્યંુ હતું. મૃતકના પુત્ર તથા ભત્રીજાએ તેમના જ સમાજની બે યુવતી સાથે દોઢેક વર્ષ પહેલા કરેલા પ્રેમલગ્નના કારણે ઉપરોક્ત ઝઘડો થયાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ પરથી સાત શખ્સ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
તે પછી ગઈકાલે સામા પક્ષના અને મોટા આસોટાના વાડી વિસ્તારમાં રહેતા જેઠાભાઈ વરજાંગભાઈ સંધીયા ઉર્ફે ભોલાભાઈએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ દૂરના સંબંધી હરદાસ રાયદેભાઈ લુણાની પુત્રીઓએ દોઢેક વર્ષ પહેલા ડાવાભાઈ સંધીયાના પુત્ર તથા ભત્રીજા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેનો ખાર રાખી રવિવારે સાંજે સાતેક વાગ્યે ડાવાભાઈ તેમજ નાગડાભાઈ રણમલભાઈ સંધીયા, ખેરાજ રણમલભાઈ, નગાભાઈ ખેરાજભાઈ સંધીયાએ લાકડી, કોસ તથા ઢીકાપાટુથી હુમલો કરી જેઠાભાઈને માર માર્યાે હતો. પોલીસે આ ફરિયાદ આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ નોંધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag