Advertisement
Author: નોબત સમાચાર

મયુર એવન્યુમાં રહેણાંક મકાનમાંથી અડધા લાખના બે મોબાઈલની ઉઠાંતરી

ઘરમાં ટીપોઈ પરથી મોબાઈલ ઉપડી ગયાઃ

જામનગર તા.૧૦ ઃ જામનગરની મયુર સોસાયટીમાં રહેતા એક આસામીના બે મોબાઈલ રવિવારની રાત્રે ઘરમાંથી ચોરાઈ ગયા છે. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા રૃા.૫૩ હજારના બે ફોનની ચોરી અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધાયો છે.

જામનગરની મયુર એવન્યુ સોસાયટીમાં કૃષ્ણકુુંજમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ભારવડીયા નામના યુવાન રવિવારે રાત્રે એકાદ વાગ્યે પોતાના મકાનમાં નિદ્રાધીન થયા તે પછી તેમના ઘરમાંથી વીવો કંપનીનો વી-૨૭ મોડલનો રૃા.૩૩ હજારની કિંમતનો એક મોબાઈલ તથા વીવો વાય-૫૬ મોડલનો રૃા.૨૦ હજારની કિંમતનો બીજો મોબાઈલ ચોરાઈ ગયો હતો.

આ આસામીએ ગઈકાલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેઓ રાત્રે નિદ્રાધીન થયા ત્યારે બંને મોબાઈલ તેઓએ પોતાના ઓરડામાં ટીપોઈ પર રાખ્યા હતા અને સવારે સાત વાગ્યા સુધીમાં તે મોબાઈલની ઉઠાંતરી થઈ ગઈ હતી. પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh