Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાની હોસ્પિટલમાં
જામનગર તા.૧૦ ઃ ખંભાળિયાના ધરમપુર ગામના એક મહિલાને નસબંધીના ઓપરેશન માટે ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી ઓપરેશન વખતે તે મહિલાનું લોહીનું દબાણ વધી જતાં સંભવિત રીતે તે કારણથી મૃત્યુ નિપજ્યું છે. પતિએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં રહેતા સાગર ભાઈ હેમતભાઈ કછટીયા નામ ના સતવારા યુવાનના પત્ની વૈશાલીબેન (ઉ.વ.૨૩)ને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં નસબંધીના ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાનું ગઈકાલે બપોરે ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેઓનું બ્લડપ્રેસર વધી ગયું હતું. તે પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. સાગરભાઈએ પોલીસમાં જાણ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag