Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૃબંધી ભંગના નોંધાયેલા છે ગુન્હાઃ
જામનગર તા.૧૦ ઃ જામનગરમાં દારૃબંધી ભંગના ગુન્હામાં સંડોવાયેલા એક શખ્સ સામે પાસાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. આ શખ્સની એલસીબીએ અટકાયત કરી તેને નડિયાદની જેલમાં ધકેલી દીધો છે.
જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તેમજ દારૃબંધી ભંગના ગુન્હામાં સંડોવાયેલા શખ્સોને જેલભેગા કરવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીએ આવા શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવા આદેશ કર્યાે હતો.
તે દરમિયાન શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૪ના છેવાડે વિશ્રામ વાડી પાસે રહેતા મહેશ ઉર્ફે મયો જેઠાલાલ મંગે સામે દારૃબંધી ભંગના ગુન્હા નોંધાયેલા હોય પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના હીરેન વરણવા, શરદ પરમારે પાસાની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી. તે દરખાસ્ત પર ગઈકાલે હસ્તાક્ષર કરવામાં આવતા એલસીબીએ આ શખ્સની અટકાયત કરી તેને નડિયાદની જેલમાં મોકલી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag