Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નિવૃત્ત નર્સિંગ કર્મચારીઓનો સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણીઃ

જામનગર તા. ૧૦ઃ ધ ટ્રેઈન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા લોકલ યુનિટ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ-જામનગર દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસ-ર૦ર૩ ના ઉપક્રમે નિવૃત્ત નર્સિંગ કર્મચારી સન્માન સમારોહનું આયોજન તા. ૧ર-પ ને શુક્રવારે ઓડીટોરીયમ હોલ, શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૪ થી ૮ સન્માન સમારોહ અને રાત્રે ૯-૩૦ થી ૧ર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા, એસ.પી. પ્રેમસુખ ડેલુ, જામનગર શિક્ષણ કમિટીના ચેરમેન મનિષભાઈ કનખરા, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, ડો. નંદિનીબેન દેસાઈ, (ડીન એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ - જામનગર), ડો. દિપક તિવારી (તબીબી અધિક્ષક, જી.જી. હોસ્પિટલ), જીતેન્દ્ર ચૌહાણ (પ્રિન્સીપાલ, સરકારી નર્સિંગ કોલેજ - જામનગર) અને મંદાકિની ગોસ્વામી (નર્સિંગ અધિક્ષક, જી.જી. સરકારી હોસ્પિટલ) ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh