Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આકરા તા૫ સાથે બફારાથી લોકો ત્રસ્તઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં આકરા તાપ અને બફારાના સંયુક્ત આક્રમણથી પરસેવે રેબઝેબ થઈ ગયેલા પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નગરમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી, જ્યારે એક ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી રહેતા આકરો તાપ અનુભવાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહ્યું હતું. જેના પગલે બફારાનું પ્રમાણ પણ વધુ રહ્યું હતું. આકરા તાપ અને બફારાના સંયુક્ત આક્રમણથી પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આકરા તાપ અને બફારામાંથી રાહત મળે તે માટે લોકોએ એસી, એરકૂલર સહિતના વિજાણું ઉપકરણો તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો. જામનગરમાં પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag