Advertisement
Author: નોબત સમાચાર

સપડાના ગણેશ મંદિરમાં ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન

જામનગર તા.૧પઃ જામનગર-કાલાવડ રોડ પર આવેલ સપડાના સિદ્ધિ વિનાયક મંદિર (ગણેશ મંદિર) માં તા. ૧૯-૯-ર૩ ના ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૯-૯ ના સવારે ૬ વાગ્યે મંગલા આરતી, સવારે ૭-૩૦ વાગ્યે ધ્વજ દંડ વિધિ તથા સવારે ૮-૩૦ વાગ્યે મોદક મહાયજ્ઞનો આરંભ થશે. બપોરે ૧ર-૩૦ વાગ્યે મહાપ્રસાદ (ભંડારો) થશે. ૧૧૧૧૧ મોદક મહાયજ્ઞ તથા ભંડારાના યજમાન (દાતા) તરીકે જિ.પં. સદસ્ય કે.ડી. કરમુર તથા કાટકોલા ગામના સરપંચ શ્રીમતી શિલ્પાબેન કરમુરે લાભ લીધો છે.

રાત્રે ૯-૩૦ વાગ્યે શ્રુતિબેન દુધરેજીયા, વિજયભાઈ ગઢવી, નિતિનભાઈ ઉસ્તાદ તથા સાંજીદાઓનો લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો છે.

આ મહોત્સવ પ્રસંગે ભાવિકોને દર્શન-પ્રસાદનો લાભ લેવા મહંત મિલનગીરી મહારાજ તથા વિઘ્નહર્તા સિદ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh