Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં આગામી તહેવારો અન્વયે હથિયારબંધી

જામનગર તા. ૧પઃ આગામી દિવસોમાં ઉજવાનારા વિવિધ તહેવારો અન્વયે જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની માટે જામનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ એન.ખેરે જામનગર જિલ્લામાં આગામી તા. ૮-૧૦-ર૩ સુધી હથિયારબંધી ફરમાવી, જે મુજબ કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી,લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવું કોઈ પણ પ્રકારનું સાધન લઈ જવું નહીં.

કોઈપણ પ્રકારના સ્ફોટક દારૃગોળો જેવા પદાર્થો, પથ્થરો, ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ અને પૂતળાં દેખાડવા કે બાળવા નહીં. આ ઉપરાંત અપમાન કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું તેમજ પરવાનેદાર અથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી.શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો. આવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનારને ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. ઉપરોકત આદેશ ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, જેઓએ શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય તેને પોલીસ સબ ઈન્સ્પેકટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષક અગર તો તેઓએ નિયુકત કરેલ અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલા વ્યક્તિ અને કિરપાણ રાખેલા શીખને લાગુ પડશે નહીં. ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh