Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧પઃ ભાણવડ તાલુકાના ઘુમલીમાં બરડા ડુંગરની તળેટીમાં સુપ્રસિદ્ધ લુણંગ ગણેશદેવનું મંદિર આવેલ છે. આ ગણેશ મંદિરના પાવન સાનિધ્યમાં ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૯-૯-ર૩ ના દિને ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૯-૯ ના સવારે ૯-૩૦ વાગ્યે અન્નકોટ દર્શન, ૧૧ વાગ્યે નૂતન ધ્વજારોહણ બપોરે ૧ર વાગ્યે મહાઆરતી અને ૧ર-૩૦ વાગ્યે મહાપ્રસાદ થશે. મહાપ્રસાદના દાતા તરીકે ગાંધીધામ (કચ્છ)ના શિવાભાઈ લાખીયા તથા કાંતિભાઈ નિંજારે સહયોગ આપ્યો છે. સમાજમાં શિક્ષણક્ષેત્રે જાગૃતિ અર્થે બપોરે ર વાગ્યે ચર્ચા-વિચારણા કરવા મિટિંગ યોજવામાં આવશે.
સમગ્ર આયોજન દરમ્યાન ટ્રસ્ટ દ્વારા જનરેટરથી લાઈટ, પાણી, ભોજન, આરામની વ્યવસ્થા, બારામતી પંથના આયોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે હોદ્દેદારો રાણાભાઈ વારસાખિયા, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ, કિરણકુમાર એલ. ગડણ, જયંત વારસાખિયા (એડવોકેટ), કે.ડી જોડ (નિ.ના. મામ.) માલશીભાઈ ગોરડીયા, ગાંગાભાઈ માતંગ, ગીરીશભાઈ માતંગ, બાબુભાઈ જોડ, સતિષભાઈ ચુંયા, બાબુભાઈ વિંજોડા, સમિતિના સભ્યો, સમાજના મંડળો, ટ્રસ્ટો, પંચ ધર્મગુરૃઓ, આગેવાનો સહયોગ આપી જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial