Advertisement
Author: નોબત સમાચાર

આર્યસમાજ દ્વારા શ્રાવણી ઉપાકર્મ-જનોઈ વિધિ

જામનગર તા. ૧૫ઃ તાજેતરમાં આર્યસમાજ જામનગર દ્વારા શ્રાવણી ઉપાકર્મ વિધિ (જનોઈ) નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૈદિક ધ્વજવંદન ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્ય સમાજ જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠકકર અને પૂજ્ય આચાર્ય અજયજી આર્ય (દર્શનાચાર્ય, સાંગાસર, ધોલેરા)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આર્યસમાજ જામનગર અને આર્યવિદ્યા સભાના માનદ્દમંત્રી મહેશભાઈ રામાણી દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા હતાં. સંસ્થાના સેવક ભાઈ-બહેનોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉપકર્મવિધિ દિપકભાઈ ઠકકર, મહેશભાઈ રામાણી, રાહુલ શાસ્ત્રીજી દ્વારા કરાવવામાં આવી હતી.  આર્ય સમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકર, આર્ય સમાજ અને આર્યવિદ્યા સભાના માનદ્દમંત્રી મહેશભાઈ રામાણી અને ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા દ્વારા કર્મચારીઓને રોકડ પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ય સમાજ અને આર્યવિદ્યાસભાના માનદ્દમંત્રી મહેશભાઈ રામાણી, આર્યસમાજ-જામનગરના ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, પુરોહિત રાહુલ શાસ્ત્રીજી,  કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર,સદસ્યો અરવિંદભાઈ મહેતા, સુનીતાબેન ખન્ના, જગદીશભાઈ મકવાણા, હરીશભાઈ મહેતા, અર્ચનભાઈ ભટ્ટ, ધવલભાઈ બરછા,  કૈલાદેવી આર્ય, નીમુબેન રામાણી, મનોજભાઈ નાંઢા, સતપાલજી આર્ય, વિશ્વાસભાઈ ઠક્કર, પ્રભુલાલભાઈ મહેતા, વિજયભાઈ ચૌહાણ, આશાબેન ઠકકર અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડીયા, આચાર્યા સંગીતાબેન મોતીવરસ, શિક્ષિકાબહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh