Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ જામનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં લાયસન્સ વિનાની કોઈપણ વ્યક્તિને તેનું પોતાનું ખાનગી કામ હોય તે સિવાય, તેણે પક્ષકારો માટે લખેલ દસ્તાવેજની નોંધણી કરાવવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીમાં પક્ષકારો સાથે પ્રવેશવા દેવામાં આવશે નહીં, દસ્તાવેજ નોંધણી સાથે સીધી રીતે સંકળાયેલ પક્ષકારો જેવા કે લખી આપનાર-લખાવી લેનાર, ઓળખાણ આપનાર સિવાયની અન્ય કોઈ પણ વ્યક્તિ કચેરીમાં બિનજરૃરી હાજર રહી શકશે નહીં. રજીસ્ટ્રાર કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિને સરકારી કામ અર્થે રાખવામાં આવશે કે તેમની પાસે સરકારી કામ કરાવવામાં આવશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
કચેરીના કર્મચારીઓ તથા આઉટસોર્સીંગથી કામ કરતા પટાવાળા વર્ગ-૪ ના કર્મચારીઓ તથા ઓપરેટરોએ પોતાના ફોટા સાથેના ઓળખપત્રો પોતાના ગળામાં લટકાવી રાખવાના રહેશે. દસ્તાવેજ નોંધણીની કામગીરી વિક્ષેપ તથા ભુલો થવાની શકયતા નિવારવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીમાં જરૃર કરતા વધુ અરજદારોએ એકત્ર થવું નહીં.
આ અંગેની જવાબદારી સંબંધિત સબ રજીસ્ટ્રારશ્રી, નોંધણી નિરીક્ષક તથા મદદનીશ નોંધણી સર નિરીક્ષકની રહેશે. જેનો ભંગ થયે શિસ્તભંગના પગલા લેવામાં આવશે, જેની સંબંધિત તમામે નોંધ લેવા જેનું દેવન (આઈએએસ) નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ ગુજરાત, રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial