Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલથી ત્રણ સ્ટેશને સ્ટોપેજનો પુનઃ આરંભ

સંસદસભ્ય પૂનમબેન માડમની રજૂઆતને સફળતા

જામનગર તા. ૧પઃ જામનગર સંસદીય મતવિસ્તારના ત્રણ મહત્ત્વના સ્થળો ઉપર રેલવે વિભાગ દ્વારા કોરોના સમયે રદ્ કરાયેલ સ્ટોપેજને પુનઃ ચાલુ કરવા માટે સાંસદ પૂનમબેન માડમની રેલવે મંત્રીને કરેલ રજૂઆત સફળ થઈ છે. મુંબઈ-ઓખા ટ્રેનનો અલિયાબાડા, વડોદરા-જામનગર ઈન્ટસિટી ટ્રેનનો જામવણથલી, ઓખા-રાજકોટ ટ્રેનનો જાલિયાદેવાણી સ્ટેશને સ્ટોપ મંજુર કરવામાં આવેલ છે, જેની અમલવારી સાંસદ પૂનમબેન માડમ દ્વારા રાજ્યના મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા. ૧૬-૯-ર૦ર૩ ના સવારે ૧૦ કલાકે અલિયાબાડા રેલવે સ્ટેશને, રાત્રે ૧૦ કલાકે જામવંથલી રેલવે સ્ટેશને તેમજ રાત્રે ૧૧-૪પ કલાકે જાલિયાદેવાણી રેલવે સ્ટેશન ઉપરથી ફ્લેગ ઓફથી કરવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh