Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ રાધાનિકેતન-જામનગર (બહેનોની સંસ્થા) દ્વારા પિતૃમોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા. ૧૬/૯ થી તા. રર/૯ સુધી દરરોજ બપોરે ૩-૩૦ થી સાંજના ૭ વાગ્યા દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી, ઠકરાર વિંગ, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. સ્વ. દિપક મહારાજ હવેલીવાળાના પુત્ર રામભાઈ વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે.
જેમાં તા. ૧૬ ના સવારે ૯ વાગ્યે દેહશુદ્ધિ, બપોરે ૩-૩૦ વાગ્યે પોથીયાત્રા, રાત્રે ૯ વાગ્યે રામધૂન (બાલા હનુમાનવાળા), તા. ૧૭ ના રાત્રે ૯ વાગ્યે 'મા-બાપને ભૂલશો નહીં' નાટક રજૂ કરવામાં આવશે તેમજ (જામજોધપુરની દીકરી સાથે) જલારામ બાપાનો રોટલાનો અન્નકોટ, તા. ૧૮ ના સાંજે ૬-૩૦ વાગ્યે શ્રી નૃસિંહ અવતાર, બપોરે ર વાગ્યાથી ૮૪ બેઠકજીના દર્શન, તા. ૧૯ ના સવારે ૧૧-૩૦ વાગ્યે શ્રી વામન જન્મ, ૧ર વાગ્યે શ્રી રામજન્મ, સાંજે ૬-૩૦ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મ-નંદ મહોત્સવ, તા. ર૦ ના સાંજે ૬-૩૦ વાગ્યે શ્રી ગોવર્ધન ઉત્સવ, તા. ર૧ ના સાંજે ૬-૩૦ વાગ્યે શ્રી રૃકમણી વિવાહ, તા. રર ના સાંજે ૪ વાગ્યે શ્રી સુદામા ચરિત્ર-મંગલ પુર્ણાહૂતિ, દિવસ દરમિયાન ચુંદડી મનોરથ તથા યમુનાજી લોટી ઉત્સવ, રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. કથા વિરામ પછી દરરોજ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી પ્રસાદી લેવા ઈચ્છતા ભક્તોએ વ્યવસ્થાના ભાગરૃપે સવારે ૧૦ થી ૧ર વાગ્યા દરમિયાન પાસ મેળવી લેવાના રહેશે. ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા રાધાનિકેતન-જામનગર તથા પિયુષભાઈ મજીઠિયા (મો. ૯૪ર૬૯ ૮૮૮૪૮), ભાષાબેન ઝવેરી (મો. ૯૪ર૭ર પ૭૦૦૩), શીલાબેન મજીઠિયા (મો. ૯૪ર૯ર ૭ર૬૭૩) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial