Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સહાય મેળવવા ઈ-કેવાયસી ફરજીયાત

જામનગર તા. ૧પઃ જામનગર જિલ્લાના પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા જે ખેડૂત લાભાર્થીઓએ ઈ. કે.વાય.સી. ન કરાવ્યું હોય તેમણે ૩૦ મી સપ્ટેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવું ફરજીયાત છે. અન્યથા તેમને આ સહાય મળી શકશે નહીં.

પીએમ કિસાન યોજના અંતર્ગત ત્રણ સમાન હપ્તામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સહાય અપાય છે. આ સહાય મેળવવા ખેડૂતોએ ફરજીયાત ઈ-કેવાયસી માટે આધાર કાર્ડ સાથે બેન્ક ખાતાને લિંક કરાવવું પડે છે. જામનગર તાલુકામાં ૬૭૯૭ ખેડૂતો, ધ્રોલ તાલુકામાં ૩૧૧૦ ખેડૂતો, જોડિયા તાલુકાના ૩૪ર૪ ખેડૂતો, કાલાવડ તાલુકાના ૩૬૧૬ ખેડૂતો, જામજોધપુર તાલુકાના ર૩ર૦ ખેડૂતો અને લાલપુર તાલુકામાં ૩૬૭૪ ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી કરાવેલ નથી.

ઈ કેવાયસી કરાવવા માટે ખેડૂત ખાતેદારે બેન્કમાં જઈ આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવાનો હોય છે. આ કામગીરી કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) ઈ-ગ્રામ સેન્ટર, ગ્રામ્ય લેવલે વીસીઈ અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવાથી થઈ શકે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના કર્મચારી પણ આ કામગીરી કરી રહ્યા છે. ગ્રામ સેવકો ગામડે-ગામડે કેમ્પનું આયોજન કરી ફેઈસ ઓથેન્ટીકેશન દ્વારા પણ ઈ-કેવાયસી કરી આપે છે. જેનો લાભ લઈ બાકી ખાતેદારોને સત્વરે ઈ.કેવાયસી કરાવવા મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh