Advertisement
Author: નોબત સમાચાર

"શિક્ષણ સંવર્ધન કેન્દ્ર" ના નિર્માણ માટે અપાયું અમૃતલાલ ભારદિયા તરફથી ત્રીસ લાખનું દાન

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં રક્ષાબંધન પ્રસંગે

જામનગર તા. ૧૫ઃ જામનગરના શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં સંસ્થા બંધ અમૃતલાલભાઈ ભારદિયાના સાંનિધ્યમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંસ્થા દ્વારા નિર્માણાધીન "શિક્ષણ સંવર્ધન કેન્દ્ર" માટે માતબર અનુદાન પ્રાપ્ત થતા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ સંવર્ધન કેન્દ્રના નિર્માણ માટે શ્રી અમૃતલાલભાઈ ભારદિયા તરફથી સંસ્થાને રૃપિયા ત્રીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ સંસ્થાના પૂર્વ મંત્રી સ્વ. પુષ્પાબેન પંડ્યાના ભત્રીજા કિશોરભાઈ ત્રિવેદી તરફથી રૃપિયા દસ લાખનુું અનુદાન તથા સંસ્થા સંચાલિત હાઈસ્કૂલ વિભાગના પૂર્વ શિક્ષિકા અકલનંદાબેન ઝવેરી તરફથી રૃપિયા છ લાખનું અનુદાન પ્રાપ્ત થયું હતું.

આ પાવન પ્રસંગે સંસ્થાના હોદ્દેદારોએ સંસ્થાબંધુ શ્રી અમૃતલાલભાઈ ભારદિયાનું સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર, ટ્રસ્ટીઓ હસમુખભાઈ હિંડોચા તથા માનદ્મંત્રી હિરાબેન તન્ના તથા સુચેતાબેન ભાડલાવાળાએ શાલ અને સ્મૃતિચિન્હથી સન્માન કર્યુ હતું. ઉપરાંત વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર સુભાષભાઈ જોશીએ શ્રી અમૃતલાલભાઈ ભારદિયાનું રજવાડી સાફા સાથે સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીમંડળના સભ્યશ્રીઓ, કારોબારીના સભ્યઓ, વિભાગીય વડાઓ, તમામ કર્મચારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh