Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૦% મુસ્લિમ વસતિ ધરાવતા
ખંભાળીયા તા. ૧૫ઃ ૧૦૦% મુસ્લિમ વસતિ ધરાવતું કોટા ગામમાં બિરાજતા હિન્દુ આરાધ્ય દેવ કોટેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ભાવિકો ઉમટતા કોમી એકતાનું અનોખું દૃશ્ય સર્જાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય પંથક શિવ મંદિરો બાબતે પ્રસિદ્ધ છે, તેમાં ખંભાળીયાના કોટા ગામે કોટેશ્વર મહાદેવ વિશિષ્ટ છે. કોટા ગામ નાનકડું ૧૦૦ ટકા મુસ્લિમ વસતિ ધરાવતું ગામ છે. જ્યાં નદીના કાંઠા પર કોટેશ્વર મહાદેવનું અત્યંત પ્રાચીન શિવ મંદિર આવેલું છે.
પ્રકૃતિની ગોદમાં બાજુમાં વહેતી ઘી નદી તથા ખીણ કોતરો સાથેના વાતાવરણમાં ઉંચી ટેકરી પર આવેલા આ શિવ મંદિરે શ્રાવણ માસમાં ભાવિકો ઉમટે છે. મંદિરના જીર્ણોદ્ધાર તથા વિકાસમાં ગામના મુસ્લિમ અગ્રણીઓએ મદદ કરેલી હતી તથા સવારના મુસ્લિમો દ્વારા અલ્લાહો અકબરના નાદ સાથે શિવ મંદિરમાં હરહર મહાદેવનો નાદ સંભળાય છે, જે કોમી એકતાનું સૂચક છે.
ખંભાળીયાના પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ કણઝારીયા બ્રહ્મ અગ્રણી કાંતિભાઈ મોમૈયા, વેપારી અગ્રણી નીતિનભાઈ ગણાત્રા, ઈશ્વરભાઈ સોલંકી, કમલેશભાઈ જોશી સહિતના ભક્તો અહીં નિયમિત પૂજા-દર્શને જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial