Advertisement
Author: નોબત સમાચાર

સાસરિયા સામે ભાવનગરની યુવતીએ દહેજ બાબતે ત્રાસ આપ્યાની કરી રાવ

તારા પિતાને કહી દુકાન અપાવી દે તેમ કહી અપાયો ત્રાસઃ

જામનગર તા. ૧૫ઃ જામનગરમાં રહેતા પતિ સહિતના સાસરિયા સામે ભાવનગરના એક મહિલાએ દહેજ બાબતે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુુક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરની ઓશવાળ સોસાયટીમાં શ્રીજી હોલ પાસે રહેતા નિકુંજ લીલાધરભાઈ રાઠોડ સાથે વર્ષ ૨૦૦૫માં ભાવનગરના ફાલ્ગુનીબેનના લગ્ન થયા પછી સાતેક વર્ષ સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. જેમાં આ દંપતીને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તે પછી દહેજની માંગણી કરી ચઢામણી કરાતા પતિએ વર્ષ ૨૦૧૨માં ફાલ્ગુનીબેનને માર મારી કાઢી મૂક્યા હતા પોતાના પુત્ર સાથે ભાવનગર રહેવા જતાં રહેલા ફાલ્ગુનીબેનને પતિ તેમજ સસરા લીલાધરભાઈ, સાસુ લલીતાબેન, જેઠ સંજયભાઈ, જેઠાણી હર્ષાબેન સહિતના સાત સાસરિયા સમાધાન માટે વાત કરી જામનગર લાવ્યા હતા. ત્યાં ફરીથી તારા પિતા દુકાન લઈ આપે તો તને સારી રીતે રાખીશું તેમ કહી ત્રાસ અપાતા અને માતા-પુત્રને ફરીથી ઘરમાંથી કાઢી મુકાતા આ મહિલાએ ભાવનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી તેમજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh