Advertisement
Author: નોબત સમાચાર

વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન-સારવારનો મેગા કેમ્પ

જામનગર તા. ૧૫ઃ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન અને સારવારનો મેગા કેમ્પ તા. ૧૭-૦૯ને રવિવારે સવારે ૯ થી ૧૨ શ્રી મુખ્ય સ્વામીનારાયણ મંદિર, બેડીગેઈટ, ખાદી ભંડાર સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે.

સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ પૂનમબેન માડમ (સાંસદ)ના સહયોગથી અને પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તમામ રોગની તપાસ અને દવા નિષ્ણાત ડોકટરો દ્વારા આપવામાં આવશે. તેમજ ૬ મહિનાથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને 'સુવર્ણપ્રાસ'ના ટીપાં આપવામાં આવશે. આ સિવાય આંખની તપાસ કરી ટીપાં આપવામાં આવશે. આ કેમ્પમાં આંખના દર્દીઓને જી.જી. હોસ્પિટલ, આંખ વિભાગના વરિષ્ઠ ડોકટરની ટીમ દ્વારા તપાસ કરી બીજા દિવસે મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. તદુપરાંત શારીરિક કમજોરી, રોગ પ્રતિકારક શક્તિ વધારવા, પેટની સમસ્યાઓ, વજન, મોટાપો તથા ચામડીના રોગ વિગેરે માટે માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર કેમ્પનું આયોજન ડો. ભાવિકભાઈ, ડો. કશ્યપ જનાની, ડો. દેવદત્ત ગોહિલ (આંખ), ડો. તપન પરમાર, નાઝમીન મીરઝા (મહિલા) દ્વારા કરવામાં આવશે. જરૃરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી (મો. ૯૯૯૮૦ ૯૫૨૧૦)એ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh