Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પંથકમાં બે, કાલાવડમાં એક ઈંચ વરસાદઃ ખેડૂતો હરખાયા

લાંબા સમય પછી ગગનમાંથી વરસી રાહતઃ

જામનગર તા. ૧પઃ લાંબા સમયથી વરસાદ નહીં વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જ્યારે ગઈકાલે ખંભાળિયા પંથકમાં બે ઈંચ અને કાલાવડમાં ૧ ઈંચ વરસાદ થતાં આ વિસ્તારના ખેડૂતો હરખાયા છે. અન્ય ક્યાંય વરસાદના વાવડ નથી.

છેલ્લા દોઢેક માસથી મેઘરાજાએ રિસામણા લેતા ખેડૂતોની હાલત બગડી રહી છે, પરંતુ મેઘમહેર થતી નથી. આ દરમિયાન ગઈકાલે ખંભાળિયામાં બે ઈંચ જેટલો વરસાદ થયો હતો. એ સિવાયના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યાંય વરસાદ વરસ્યો ન હતો.

ગઈકાલે વરસેલા બે ઈંચ વરસાદથી ખંભાળિયામાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.

ખંભાળિયાના હવામાનના જાણકાર કનુભાઈ કણઝારિયાના જણાવ્યા મુજબ આગામી તા. ૧૮ થી ર૩ સુધી બેથી ચાર ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા જિલ્લામાં તા. ૧૮ થી ર૦ સુધી સારો વરસાદ થશે.

આથી કાલાવડ પંથકના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી છે. એ સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદના વાવડ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh