Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયદાના દૂરઉપયોગ સામે કોર્ટની લાલઆંખઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના એક આસામીએ સરફેસી એક્ટની જોગવાઈ મુજબની કાર્યવાહીથી બચવા અદાલતમાં કરેલો દીવાની દાવો રદ્દ કરવામાં આવ્યો છે.
જામનગરના ગોપાલભાઈ કરશનભાઈ કુછડીયા નામના વેપારીએ એચડીએફસી બેંકમાંથી લોન મેળવી પોતાનું પાંચ બંગલા પાસે આવેલું મકાન મોર્ગેજ કરાવ્યું હતું. તે લોનના હપ્તા ભરવામાં નિષ્ફળ જતાં ગોપાલભાઈનું એકાઉન્ટ એનપીએ કરી સરફેસીકેટ હેઠળ મિલકતનો કબજો મેળવવા બેંક દ્વારા કાર્યવાહી કરાઈ હતી.
તે દરમિયાન ગોપાલ ભાઈએ મકાન રવિ વિનોદભાઈ પરમારને ભાડે આપી તેનો કરાર કર્યાે હતો અને કોર્ટમાં દાવો કર્યાે હતો. તે દાવામાં બેંક તરફથી રોકાયેલા વકીલે દલીલ કરી હતી કે, ગોપાલભાઈએ સરફેસી એક્ટના પ્રોસીડીંગ્ઝ ચાલુ હોવા છતાં ખોટો દાવો કર્યાે છે અને આ દાવાને હકુમતનો બાધ નડે છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ગોપાલભાઈનો દાવો રદ્દ કર્યાે છે અને દીવાની કાર્યવાહીનો દૂરઉપયોગ કર્યાે હોય રૃા.૧૦ હજાર ભરપાઈ કરવા હુકમ કર્યાે છે. બેંક તરફથી વકીલ કે.એન. ચાવડા, એસ.એન. ચાવડા, એ.વી. રાઠોડ, આર.એન. બરાઈ, વી.વી. મારિયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial