Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં નગરના સોની વેપારીને બે વર્ષની કેદની ફટકારાઈ સજા

રૃા.૧૭ લાખ ૪૦ હજારનો દંડ ભરવા કરાયો હુકમઃ

જામનગર તા. ૧૫ઃ જામનગરના એક સોની વેપારી સાથે રૃા.૮ લાખ ૭૦ હજારના ચેક પરતની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમ-રૃા.૧૭ લાખ ૪૦ હજારનો દંડ ભરવા હુકમ કર્યાે છે.

જામનગરના બળવંતસિંહ જીવુભા ચુડાસમા નામના આસામી પાસેથી જયસુખભાઈ હરિલાલ રાણીંગા નામના સોની વેપારીએ ધંધા માટે નાણાની જરૃર પડતા કટકે કટકે રૃા.૮ લાખ ૭૦ હજાર હાથઉછીના મેળવ્યા હતા અને તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. તેથી  નોટીસ પાઠવાયા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયસુખ રાણીંગાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તથા ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યાે હતો. આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદીની આ રકમ આપવાની આર્થિક સક્ષમતા નથી તે દલીલ અદાલતે ગ્રાહ્ય રમાખી ન હતી. રૃા.૧૭ લાખ ૪૦ હજારનો દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની કેદની સજા ફરમાવાઈ છે. ફરિયાદી તરફથી વકીલ જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ ઝાલા, હરપાલસિંહ ઝાલા, સત્યજીત સિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh