Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુન્હામાં સાસરિયાનો છૂટકારો

પતિ, સાસુ તથા સસરા સામે નોંેંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ૧૫ઃ જામનગરના એક પરિણીતાએ સવા ચાર વર્ષ પહેલા પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણીના માતાએ પોતાની પુત્રીને દહેજ બાબતે પતિ, સાસુ, સસરાએ ત્રાસ આપી કવરાવી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આત્મહત્યાની દુષ્પ્રેરણાના આ ગુન્હામાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના રાહુલ રમેશભાઈ ગવઈ સાથે પૂજાબેન સુરેશભાઈ તાયડેના લગ્ન થયા પછી ગઈ તા.૨-૧૦-૧૯ના દિને પૂજાબેને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ત્યારપછી મૃતક મહિલાના માતા લતાબેન સુરેશભાઈએ પોતાના પુત્રીના પતિ રાહુલ તેમજ પિતા રમેશભાઈ ગવઈ અને માતા કલાવતીબેન દહેજની માંગણી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોવાથી પોતાની પુત્રીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસમાં જણાવી ફરિયાદ નોંધાવી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલ રાજેશ કનખરા, ભાવિક નાખવા, યશ કટારમલ તરફથી રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી હતી. આ કેસમાં તમામ સાહેદો, પંચો, પોલીસ તેમજ તબીબની જુબાની ફરિયાદ પક્ષના કેસને સમર્થન ન આપતી હોવાનું અને ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાનું ઠરાવી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh