Advertisement
Author: નોબત સમાચાર

પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા મહાનગરપાલિકાનો અનુરોધ

જામનગર તા. ૧૫ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આથી સંબંધકર્તા અને કતલખાના ચલાવતા ધંધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવાલય ગાંધીનગરના પત્ર અન્વયે તા. ર૦-૯-ર૦ર૩ (બુધવાર) સુધીના દિવસોએ જૈનોના પવિત્ર પર્યુષણ નિમિત્તે કતલખાના બંધ રાખવા અનુરોધ કરવામાં આવે છે. જે અન્વયે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા કતલખાના બંધ રાખવા તથા આ દિવસો દરમિયાન પશુઓની કતલ ન કરવા અનુરોધ કરવામાં આવે છે, જેની સંબંધકર્તાઓએ નોંધ લેવી તેમ જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh