Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડેમના રસ્તાના પ્રશ્ને બે યુવાન પર થઈ ધોકાવાળીઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના ગણેશવાસમાં જાહેરમાં ગાળો બોલતા એક મહિલાને બીજા મહિલા વારવા જતાં તેમના પર હુમલો કરાયો હતો. જ્યારે ડેમના રસ્તાના પ્રશ્ને કાલાવડના વીરવાવમાં બે યુવાનને માર પડ્યો છે. ઉપરાંત જમીનના ડખ્ખામાં ગોરખડીના યુવાન પર સગા ભાઈએ હુમલો કર્યાે હતો.
જામનગરના કિસાનચોક પાસે આવેલા ગણેશવાસમાં ગઈકાલે સાંજે બાયાબેન દેવશીભાઈ વિંઝુડા નામના મહિલા જાહેરમાં ગાળો બોલતા હતા. આ વેળાએ ત્યાં ટ્યૂશન ક્લાસ ચલાવતા લક્ષ્મીબેન રમેશભાઈ પરમારે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બાયાબેને તેઓને ગાળો ભાંંડી નજીકમાં પડેલો પથ્થર ઉપાડી લક્ષ્મીબેનના માથામાં ઝીંક્યો હતો. લોહી લોહાણ બની ગયેલા આ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના વીરવાવ ગામના કાપડીયુ સીમ વિસ્તારમાં વસવાટ કરતા જયરાજ દીલાભાઈ માલા નામના યુવાન પર ગઈકાલે બપોરે વીરવાવ ગામના જ ભૌતિક હીરાભાઈ રાતડીયા, નાગજીભાઈ રાતડીયા, ગોપાલ નાગજીભાઈ તથા રતાભાઈ રાતડીયાએ ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો.
હુમલાખોર ભૌતિકના પિતા હીરાભાઈ તથા તેમના ભાઈઓએ વીરવાવ ગામમાં ખેડેલી જમીનમાંથી ડેમ તરફ જવાનો રસ્તો નીકળતો હોય તે રસ્તા બાબતે કહેવા જતાં જયરાજ પર હુમલો કરાયો હતો. વચ્ચે પડનાર રાજનને પણ માર મારવામાં આવ્યો હતો. પોલીસે જયરાજની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના ધીરૃભાઈ ગંગદાસ વસોયા પર જમીનના વિવાદના કારણે ગઈકાલે સવારે તેના ભાઈ મગન વસોયાએ ઘરમાં ઘૂસી હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર મમતાબેનને છરી હુલાવી દેવાઈ હતી. ધીરૃભાઈએ શેઠવડાળા પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial