Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકા સંચાલિત મેળાની મુદ્તમાં ત્રણ દિવસ વધારી દેવામાં આવી છે. આથી મેળાના ધંધાર્થીઓ ખુશખુશાલ જણાય છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતિ નદીના પટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ગઈકાલે અમાસનો અંતિમ દિવસ હતો, પરંતુ મેળાના પ્રારંભમાં વિલંબ થયો હોવાથી મેળાઓના ધંધાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા મેળાની મુદ્તમાં ત્રણ દિવસનો વધારો કરી દેવામાં આવ્યો છે. હવે તા. ૧૭ સુધી બન્ને મેળા યથાવત્ ચાલુ રહેશે. આમ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસની મુદ્તમાં વધારો થતાં મેળાના ધંધાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial