Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા

જામનગર તા. ૧પઃ શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા શહેરના લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સરસ્વતી સન્માન સમારોહ તા. ૧૭-૯-ર૦ર૩ ને રવિવારના સાંજે ૪ કલાકે શ્રી જામનગર ગુર્જર સુથાર સમાજની વાડી, વિશ્વકર્મા બાગ, ગાંધીનગર મેઈન રોડ, જામનગરમાં જ્ઞાતિના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં એલ.કે.જી. થી ધોરણ ૮ સુધીના જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ હોય તેઓએ પોતાના નામનું રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપર સાંજે ૪ થી પ-૩૦ વાગ્યા સુધીમાં કરાવી લેવું. ધોરણ ૯ થી પી.જી. સુધીના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાની જરૃર ન હોય તો સમયસર ઉપસ્થિત રહેવા સંસ્થાના મંત્રી ખ્યાતિબેન ચોલેરાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh