Advertisement
Author: નોબત સમાચાર

સિંહણ ડેમનો કમાન્ડ એરિયા વધારીને ૬ ગામોના ગરીબ ખેડૂતોને લાભ આપોઃ મનુભા

પૂર્વ મામલતદારની સિંચાઈ મંત્રીને રજૂઆત

ખંભાળીયા તા. ર૯ઃ પૂર્વ મામલતદાર દ્વારા સિંચાઈ મંત્રીને ખંભાળીયા નજીકના સિંહણ ડેમનો કમાન્ડ એરીયા વધારીને છ ગામોને સિંચાઈનું પાણી આપવા રજૂઆત કરવામાં આવી છે.

ખંભાળીયા નજીક આવેલા રાજાશાહીના સમયના સિંહણ ડેમનો કમાન્ડ એરીયા વધારીને નજીકના છ ગામોને સિંચાઈનું પાણી ૫ૂરૃં પાડવા આયોજન કરવા પૂર્વ મામલતદાર મનુભા જાડેજા દ્વારા રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીને રજૂઆતો કરવામાં આવી છે.

રજૂઆતોમાં પૂર્વ મામલતદાર મનુભા જાડેજાએ જણાવેલ કે, આ રાજાશાહીના સમયના ડેમમાંથી દાંતા તથા મોટા માંઢા ડેમોને સિંચાઈનું પાણી મળે છે. ડેમનો સમાવેશ સૌની યોજનામાં થયેલ છે, તથા ડેમને સવા મીટર ઉંચો કર્યો છે, તથા ૬-૭ થી માટી કાંપ કાઢીને ડેમની ક્ષમતામાં પણ વધારો થયો છે, ત્યારે ડેમની નીચાણવાળા જમણા કાંઠાના ગામો નાના માંઢા, કજુરડા, ટીંબડી, ભરાણા, નાના આંબલા તથા મોટા આંબલા એમ છ ગામોને સિંચાઈનું પાણી આ ડેમમાંથી મળે તે માટે આયોજન કરવું જોઈએ.

ડેમની જમણી તરફ કેનાલ થઈ શકે તે માટે અનુકૂળતા છે. ગ્રામ્યકક્ષાના પાકા રોડની બાજુમાં જ કેનાલ થઈ શકે જે માટે જમીન સંપાદનની પણ જરૃર નથી. નજીકની ખાનગી કંપનીઓની આ ગામોના જમીન તળના પાણીને નુકસાન થયું હોય, સિંહણ ડેમ સિંચાઈથી મોટો ફાયદો થતા ખેતીને જીવતદાન મળી જાય તેમ હોય, આ યોજના બાબતે અગાઉ સર્વે કરવા પ્રયાસ થયેલો જે કાર્ય કરીને મોટી સંખ્યામાં ગરીબ ખેડૂતોને ફાયદો થાય તેમ કરવા માંગ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh