Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯ઃ જામનગરના એક આસામીને મેડિક્લેઈમ ચૂકવવાનો ઈન્કાર કરનાર વીમા કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા હુકમ કરાયો છે.
જામનગરના જગદીશભાઈ એલ. નંદા નામના આસામીએ સ્ટાર હેલ્થ એન્ડ એલોઈડ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિકલેઈમ મેળવ્યો હતો. તે પછી જગદીશભાઈને કોરોના થઈ જતાં તેઓએ સારવાર મેળવી તેમાં થયેલા ખર્ચ અંગે વીમા કંપનીને જાણ કરી હતી.
તેનો કલેઈમ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૃા.૧,૨૮,૨૦૫ની રકમ પર સાત ટકા વ્યાજ ગણી ચૂકવી આપવા અને વળતર તથા ફરિયાદ ખર્ચ પેટે રૃા.૮ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial