Advertisement
Author: નોબત સમાચાર

સ્ટેટ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સત્યાગ્રહનો સાતમો તબક્કોઃ રામધૂન

પરિપત્રો કર્યા, પણ અમલ થતો નથીઃ કેટલાક પડતર પ્રશ્નો ઉકેલ માંગે છેઃ સંઘ

ખંભાળીયા તા. ર૯ઃ બીજી સપ્ટેમ્બરે રાજયભરમાં રાજયના શૈક્ષણિક સંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૃ કરાયેલ સત્યાગ્રહના તબક્કાવાર આંદોલનના ભાગરૃપે રામધૂન બોલાવાશે.

ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પ્રમુખ જે.પી. પટેલ તથા અગ્રણીઓ ડો. શંકરસિંહ રાણા, ભાસ્કરભાઈ પટેલ, ડો. પ્રિયવદન કોરાટ, કિરીટસિંહ મહીડા, કિશોરભાઈ ડાંગર વિગેરેની આગેવાની હેઠળ ગત્ તા. ર૦-૭-ર૦ર૩ થી શરૃ થયેલ તબક્કાવાર તમામ સંવર્ગ સંચાલક, આચાર્ય, શિક્ષક, કલાર્ક, પટાવાળા સહિતના કર્મચારીઓ દ્વારા સાતમા તબક્કામાં સત્યાગ્રહ પ્રવેશ્યો છે અને તબક્કાવાર આંદોલન કરવામાં આવી રહ્યું છે.

રાજયના આચાર્ય સંઘ અગ્રણીઓ ભરતભાઈ ચૌધરી, ભાનુભાઈ પટેલ, મીડિયા સેલ રાજય કન્વીનર ડો. નરેનસિંહે જણાવેલ કે, આગામી તા. ર-૯-ર૦ર૩ ના શનિવારના રાજયના તમામ તેત્રીસ જિલ્લાઓમાં મુખ્ય સ્થળે જિલ્લાના તમામ સંવર્ગના કર્મચારીઓ તથા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મંડપ બાંધી રામધૂનનો કાર્યક્રમ થશે.

મંજૂરી માંગીને તમામ સ્થળે કાર્યક્રમ મંજૂરી નહીં મળે તો પણ કરવા નિર્ણય કર્યો છે. આંદોલનના પગલે રાજય સરકાર દ્વારા રજા રોકડ રૃપાંતર, પરિણામ આધારીત ગ્રાન્ટ નીતિનો અમલ મોકૂફ જેવા પરિપત્રો કર્યા છે, પરંતુ તમામ માંગણીના પરિપત્રો ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે જેથી કોઈએ ખોટી બાબતોમાં ના ભરમાવા અપીલ પણ સંઘ દ્વારા કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh