Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ.પૂ. જેજેશ્રી તથા સમાજના વડીલોના હસ્તે ઈનામો અપાયાઃ
ભાટીયા તા. ૨૯ઃ બારાડી લોહાણા મહાજન તથા બારાડી રઘુવીર સેના દ્વારા જામ કલ્યાણપુર તાલુકાના રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં પ.પૂ. ગો.૧૦૮ શ્રી કાલિન્દ્રી વહુજી શ્રી નટવર ગોપાલ મહારાજ શ્રી (દ્વારકા-બરડીયા-વેરાવળ-કંપાલા) પધાર્યા હતા અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતાં.
આ સન્માન સમારોહમાં મહેમાનોનું શાબ્દીક સ્વાગત બારાડી લોહાણા મહાજનના મંત્રી નિલેશભાઈ કાનાણીએ જ્યારે મહેમાનોનું ફૂલના બૂકેથી સ્વાગત બારાડી રઘુવીર સેનાના પ્રમુખ મેહુલભાઈ સચદેવ, જગુભાઈ રાયઠઠ્ઠા, કેતનભાઈ મોટલા, રાજુભાઈ બથીયા, યશભાઈ ગોકાણી વિગેરેએ કર્યું હતુુ.
આ પ્રસંગે બારાડી લોહાણા મહાજનના ઉપપ્રમુખ ભરતભાઈ મોદી, ભાટીયા રાવલ-લાંબા-કલ્યાણપુર, નંદાણા લોહાણા મહાજનના પ્રમુખો દામભાઈ દાવડા, ભગવાનજીભાઈ પાબારી, હરૃભાઈ બથીયા, જગુભાઈ રાયઠઠ્ઠા, શશીકાંતભાઈ સચદેવ તેમજ લોહાણા સમાજના વડીલો ગોધૂભાઈ દાવડા, રમેશભાઈ મહેતા વિગેરેના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં. જ્યારે વજુભાઈ પાબારી તથા ઈશ્વરભાઈ ઝાખરીયાએ શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન-આયોજન બારાડી રઘુવીર સેનાના મેહુલભાઈ જગુભાઈ કેતનભાઈ, રાજુભાઈ યશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial