Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ સમસ્યાઓનું એક માસમાં નિવારણ લવાશેઃ ઈજનેરશ્રી
જામનગર તા. ર૯ઃ જામજોધપુરના ધારાસભ્યએ વીજ કંપની સબંધિત પ્રશ્નો અંગે આંદોલનની ચિમકી આપતા જ વીજળી વેગે દોડી આવેલા અધિક્ષક ઈજનેરએ ધારાસભ્યની તમામ માંગણીઓ, સમસ્યાનું એક માસમાં નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાત્રી આપી છે.
જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવાએ ગત તા. ૧૭ ના જામજોધપુર-લાલપુર તાલુકાના પીજીવીસીએલ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે પીજીવીસીએલના એમ.ડી.ને પત્ર પાઠવી વીજ કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. આથી સફાળા થયેલા વીજ કંપનીના અધિક્ષક ઈજનેર તાબડતોબ લાલપુર દોડી આવ્યા હતાં અને તાકીદે મિટિંગનું આયોજન કર્યું હતું.
જેમાં ધારાસભ્ય સહિત ૪૦ જેટલા અગોવાનો અને વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં અધિક્ષક ઈજનેરે તમામ સમસ્યાનું એક માસમાં નિવારણ લાવવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. લાલપુર પેટા વિભાગીય કચેરીમાં કાયમી ધોરણે નાયબ ઈજનેરની તાકિદે નિમણૂક કરવામાં આવી છે. ખરાબ થયેલ ટ્રાન્સફોર્મર ૪૮ કલાકમાં બદલવાના હોય છે જે અં પણ અધિક્ષક ઈજનેરે સબંધિત અધિકારીને કડક સૂચના આપી હતી.
ફોલ્ટ સેન્ટરમાં ફોન ઉપાડવામાં આવતા નથી તેની ફરિયાદ બાબતે પણ સૂચના આપી ખેડૂતો સામે વિનમ્રતાથી વાત કરવા પણ આદેશ અપાયો હતો. ખેતીવાડીમાં સિંગલ ફેસ દરમ્યાન ર૪૦ વોલ્ટેજમાં વીજ પુરવઠો આપવા સહમતી જાહેર કરાઈ હતી ખેતીવાડીના ફિડરનું મેન્ટનન્સ એક માસમાં પૂર્ણ કરીને વિક્ષેપ વગર આઠ કલાક વીજળી આપવા બાંહેધરી આપવામાં આવી હતી. આ બાબતે ધારાસભ્યએ એક માસની મુદ્દત આપી હતી અને હાલ તાળાબંધીનો કાર્યક્રમ મુલત્વી રાખ્યો હતો. જરૃર પડ્યે ભગતસિંહના ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આ સાથે આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial