Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિને વ્યસન છોડી દેવા અપાયું કાઉન્સેલીંગઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર પર આવી પહોંચેલા એક પરપ્રાંતિય મહિલાએ પોતાના પતિ દારૃનો નશો કરી મારકૂટ કરતા હોવાની અને તેના કારણે પોતે ઘર છોડ્યાની રજૂઆત કરતા આ મહિલાના પતિને શોધી કાઢી સેન્ટરના સ્ટાફે તે દંપતી વચ્ચે સુખદ સમાધાન સાધી આપ્યું હતું.
જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર પર એક પરપ્રાંતિય મહિલા રાત્રિના સમયે આવ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પતિ સાથે મધ્યપ્રદેશથી જામનગર પેટીયુ રળવા આવ્યા છે અને તેઓને સંતાનમાં એક બાળક છે.
આ મહિલાના પતિ દારૃનું વ્યસન કરાવતા હોય અવારનવાર નશો કર્યા પછી મારકૂટ કરતા હતા તેથી આ મહિલા પોતાનું ઘર છોડીને નીકળી સેન્ટર પર આવી પહોંચ્યા હતા. સખી વન સ્ટોપના સંચાલક દ્વારા આ મહિલાના પતિનો સંપર્ક કરવા પ્રયાસ શરૃ કરાયા હતા. પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયાથી પણ પ્રયાસ કરાયો હતો. જેમાં મહિલાના પતિ મળી આવ્યા હતા. તેઓને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવાયા હતા.
જ્યાં કોન્ટ્રાક્ટરની હાજરીમાં પતિ-પત્ની સાથે ચર્ચા કરાયા પછી મારકૂટ ન કરવા અને વ્યસન છોડી દેવા સૂચન કરાયા પછી દંપતી વચ્ચે સમાધાન સધાયું હતું અને તે મહિલા પોતાના પતિ સાથે રવાના થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial