Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવારે આઠ વાગ્યે ગોમતીજીમાં દેહશુદ્ધિ પછી
દ્વારકા તા. ર૯ઃ દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીની સેવા-પૂજાતેમજ યાત્રિકો સાથે સંકળાયેલા ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા સદીઓ જુની પરંપરા અનુસાર બુધવારે બળેવ પૂર્ણિમાની ઉજવણી કરાશે જેમાં સવારે ૮ કલાકે બ્રાહ્મણો દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી નદીના ઘાટ પર દેહશુદ્ધિની વિધિ કરવામાં આવશે જેમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહી હેમાદ્રી સંકલ્પ કરી દશાવિધિ સ્નાનની વિધિ કરવામાં આવશે. આ સાથે બ્રાહ્મણો દ્વારા ગાયત્રી મંત્રના જાપ પણ કરવામાં આવનાર છે.
દેહશુદ્ધિ વિધિ સાથે સાથે ઋષિ પૂજન, ઋષિ તર્પણ, ગ્રહ-નક્ષત્ર-ઋતુ અને માસ તર્પણની વિધિ પણ કરવામાં આવશે. ત્યારપછી મધ્યાહ્ન સમયે જગતમંદિરમાં ઠાકોરજીના યજ્ઞોપવિત ધારણ વિધિ પછી બપોરે ૧ર-૩૦ કલાકે ગુગળી બ્રહ્મપુરી નં. ૧ મા બે હજાર જેટલા જ્ઞાતિબંધુ પુરુષો એક જ જગ્યાએ સમૂહમાં ધાર્મિક વિધિવિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સમૂહ યજ્ઞોપવિત ધારણ કરશે. ગુગળી બ્રહ્મસમાજની સદીઓ જુની આ સમૂહ યજ્ઞોપવિત ધારણની પરંપરા આજે પણ યથાવત્ રીતે જળવાઈ રહી છે જેમાં દરેક જ્ઞાતિબંધુ હોંશભેર જોડાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial