Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે શકમંદના નામ સાથે કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૨૯ઃ દ્વારકાના ટીવી સ્ટેશન રોડ પર રહેતા એક આસામીના મકાનમાં ઘૂસી ગયેલા બે શખ્સે અંદરથી લોખંડનો ખાટલો તથા રૃા.૧૮૦૦ની રોકડવાળું પાકીટ ચોર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
દ્વારકા શહેરમાં ટીવી સ્ટેશન રોડ પર બીએસએનએલ ઓફિસ નજીક વસવાટ કરતા રેલવેના કર્મચારી મનસુખભાઈ નાથાલાલ ભટ્ટ નામના આસામીના મકાનમાં ગઈ તા.૨૨ની રાત્રે કોઈ તસ્કરો ધાબા પરથી પ્રવેશ્યા હતા.
આ તસ્કરોએ રૃા.૧૮૦૦ ની રોકડ જેમાં હતી તે પાકીટ શોધી કાઢવા ઉપરાંત રૃા.૧ હજારની કિંમતનો લોખંડનો ખાટલો પણ ચોરી કરી લીધો હતો. આ બાબતની મનસુખ ભાઈએ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને શકદાર તરીકે રાણાભા સીદુભા તથા ડુંગરભા પોલાભા નામના બે શખ્સના નામ આપ્યા છે. પોલીસે ગુન્હો નોંધી શકદારની પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial