Advertisement
Author: નોબત સમાચાર

તબીયત બગડ્યા પછી નગરના યુવાનનું સારવારમાં થયું મૃત્યુ

જામનગર તા. ૨૯ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનનું તબીયત બગડ્યા પછી સારવારમાં મૃત્યુ થયું છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૨૫માં રહેતા વિજયભાઈ પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.૩૬) નામના યુવાનની ગઈકાલે સવારે તબીયત લથડતા તેઓને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ યુવાનનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. ચિરાગ જયંતિભાઈ યાદવે પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh