Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં શ્રાવણી સોમવારે શિવાલયો ઉભરાયા

ઘીની પૂજા, અમરનાથ ગુફા, સાયં આરતી, વિશેષ દર્શન

ખંભાળીયા તા. ર૯ઃ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ગઈકાલે શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સવારથી મંદિરોમાં ભાવિકો પૂજા દર્શન કરવા ઉમટી પડ્યા હતા તથા સાંજે અનેક સ્થળે ઘી ની મહાપૂજા તથા વિશિષ્ટ દર્શનો યોજાયા હતાં. જેનો લાભ લેવા ભાવિકોએ કતારો લગાવી હતી. ખંભાળીયાના રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવમાં ઘી ની ભવ્ય પૂજાના દર્શન યોજાયા હતાં. તથા પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવના મંદિરમાં અમરનાથ ગુફાના દર્શન યોજાયા હતાં. સાયં આરતીનું ખૂબ મહત્ત્વ હોય ઢોલ નગારા, ઘંટનાદ સાથેની આરતીમાં પાળેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ, રામનાથ તથા ખામનાથ મહાદેવમાં ભાવિકોની ભીડ ઉમટી હતી. ગ્રામ્ય પંથકના તમામ પ્રાચીન શિવ મંદિરોમાં ભાવિકો સવારથી મોડી સાંજ સુધી દર્શન પૂજાએ ઉમટી પડ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh