Advertisement
Author: નોબત સમાચાર

શહેરી વિકાસના પ્રશ્ને જામ્યુકો તથા જાડાના અધિકારીઓ સાથે કૃષિમંત્રી-સાંસદની બેઠક

ઉચ્ચ અધિકારીઓ સાથે જરૃરી ચર્ચા-વિચારણાઃ

જામનગર તા. ર૯ઃ રાજ્યના કૃષિ, પશુપાલક, ગૌસંવર્ધન, ગ્રામ  વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ શ્રી પૂનમબેન માડમે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર શહેરના વિકાસ તથા અન્ય આનુસંગિક પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેકટર શ્રી બી.એ. શાહ સહિત જામનગર મહાનગરપાલિકા તથા જાડાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૃરી ચર્ચા વિતારણા કરી હતી.

મંત્રીશ્રીએ આ તકે જામનગરના ભાગોળે આવેલ નાઘેડી, લાખાબાવળ, માધાપર, ભુંગા, ભાવપરા, ગૌવર્ધન ગ્રીન સોસાયટી તથા શહેરના અન્ય વિસ્તારોમાં ડ્રેનેજની સુવિધા, સ્ટ્રીટલાઈટ, નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, જે.એમ.સી. ની સિટી બસ સેવા લંબાવવા અંગેની રજુઆત, માર્ગો પરના ગાંડા બાવળ દૂર કરવા માંગણી મુજબના સ્થળોએ આંગણવાડી મંજુર કરવી તથા રોડ-રસ્તાને લગતા પ્રશ્નો અંગે લગત અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર બી.એ. શાહ, અધિક કલેકટર બી.એન. ખેર, જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી જિજ્ઞાશા ગઢવી,ઈ. નાયબ મ્યુનિસિપલ કમિશનર ભાવેશ જાની, કાર્યપાલક શ્રી સ્ટેટ તથા પંચાયત, સર્વે પ્રાંત અધિકારીઓ તથા આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh