Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯ઃ જામનગરની જી.જી. હોસ્પિટલને વેન્ટીલેટર સાથેની બે આઈસીયુ એમ્બ્યુલન્સ ફાળવવા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા જનતાદળ (યુનાઈટેડ)ના પ્રમુખ મયુર ઘેલુભાઈ માડમએ સરકાર સમક્ષ રજુઆત કરતા જણાવ્યું કે જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી ઈમરજન્સી સમયે વધુ ઉચ્ચ સારવાર માટે દર્દીને અમદાવાદ લઈ જવા હોય તો આઈસીયુ (વેન્ટીલેટર) વાળી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી ખાનગીમાંથી એવી એમ્બ્યુલન્સ ભાડે લેવા જતા રર થી રપ હજારનું ભાડું ચુકવવું પડે છે જે સામાન્ય દર્દીને પરવડે નહીં.
આખા સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં આવે છે અને તેમાંથી અમુક દર્દીઓને અમદાવાદ પણ મોકલવામાં આવતા હોય છે. આથી તાકીદે જામનગરની સરકારી હોસ્પિટલને બે આઈસીયુ (વેન્ટીલેટર) એમ્બ્યુલન્સ ફાળવવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial