Advertisement
Author: નોબત સમાચાર

નગરના પિપળેશ્વર મહાદેવના મંદિરમાં ધ્વજાજી પૂજન

જામનગર તા. ર૯ઃ જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, પ્રાગરાય નિવાસ, ધ્રુવ ફળી, શેરી નં. ૧માં આવેલ અતિપૌરાણિક ચાંદીથી મઢાયેલા શ્રી પિપળેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ધ્વજાજી પૂજા તેમજ ચાંદીના આભુષણોનું ઢોલ નગારા, આતશબાજી અને ડી.જે. ના સંગાથે સામૈયું યોજવામાં આવ્યું હતું. આ તમામ પૂજા વિધિ અને સામૈયા દરમ્યાન સૂર્યનારાયણ મંદિરના પૂજારી શ્રી દધીજી મહારાજ દ્વારા શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ધ્વજાજી પૂજાના મુખ્ય યજમાન શ્રી પ્રફુલભાઈ ચોકસી પરિવારે લાભ લીધેલ હતો. તેમજ ચાંદીના આભુષણોના સામૈયા દરમ્યાન મંદિરના પૂજારી-પરીમલભાઈ, એડવોકેટ-પાર્થ ડી. સામાણી, જતીનભાઈ વારીયા, નંદનભાઈ ભટ્ટ, તેમજ શારડા ફોરેકસ પરિવારના હરીઓમભાઈ શારડા તથા રામભાઈ શારડા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતાં. પ્રસ્તુત તસ્વીરમાં પૂજાના મુખ્ય યજમાન તેમજ પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળના તમામ સભ્યો દૃષ્ટિમાન થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh