Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાશી વિશ્વનાથ ટ્રસ્ટના નેજા હેઠળ કાશી વિશ્વનાથ યુવક મંડળના ઉપક્રમે થયું હતું ભવ્ય આયોજન
જામનગરના સુપ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા કાશી વિશ્વનાથ દાદાની પાલખી યાત્રાનું તારીખ ર૮-૮-ર૩ અને સોમવારે આયોજન કરવામાં આવ્યુ હતું. બપોરે ચાર વાગ્યે આ પાલખીયાત્રાનું નાગનાથ ગેઈટ, ખેત્રીફળી ખવાસ જ્ઞાતિની વાડીથી પ્રસ્થાન થયું હતું. જે વિવિધ માર્ગોથી પસાર થઈ હતી અને રાત્રે નવ વાગ્યે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંપન્ન થઈ હતી. આ પછી દયાશંકર બ્રહ્મપુરીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. નિખિલ ચૌહાણ, નાથાભાઈ ભટ્ટી, ખુશાલ સોલંકી અને દિપેન વાઘેલા સહિતની કાશી વિશ્વનાથ યુવક મંડળની ટીમ દ્વારા આયોજન કરાયું હતું. આ પાલખી યાત્રામાં બાળકો શંકર, પાર્વતીના પહેરવેશ સાથે જોડાયા હતાં તથા બહેનોએ રાસ-ગરબાની અને મહાદેવના ભજનોની રમઝટ બોલાવી હતી. જ્યારે ભાઈઓ સાફા, ધોતીના પહેરવેશમાં પાલખી સાથે જોડાયા હતાં. હર-હર મહાદેવના નાદ સાથે આ પાલખી યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial