Advertisement
Author: નોબત સમાચાર

જયપુરના આબકારી અધિનિયમના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાઈ ગયો

રાજકોટમાંથી પેરોલ ફર્લો સ્કવોર્ડે પકડ્યોઃ

જામનગર તા. ૨૯ઃ રાજસ્થાનના જયપુરમાં વર્ષ ૨૦૧૮માં અંગ્રેજી શરાબ અંગે આબકારી અધિનિયમની જોગવાઈનો ભંગ કરવા અંગે ગુન્હો નોંધાયા પછી મૂળ જામનગરના અને હાલમાં રાજકોટમાં રહેતા શખ્સની સંડોવણી ખૂલી હતી અને આ આરોપી નાસી ગયો હતો. તેને પેરોલ ફર્લો સ્કવોડ રાજકોટમાં થી પકડી પાડ્યો છે.

રાજસ્થાનના જયપુરના રેલવે પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૮માં એક્સાઈસ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો. અંગ્રેજી શરાબ અંગે આબકારી અધિનિયમની આ કલમ હેઠળ રજીસ્ટર થયેલા ગુન્હામાં મૂળ જામનગરના ગાયત્રીનગરવાળા અને હાલમાં રાજકોટમાં માધાપર ચોકડી નજીક વ્હોરા સોસાયટીમાં રહેતા કૈલાશગીરી મોહનગીરી ગોસ્વામીનું નામ ખૂલ્યું હતું. ત્યારથી આ શખ્સ પોલીસને હાથતાળી આપતો હતો.

આ શખ્સ માધાપર ચોકડી પાસે આવ્યો હોવાની બાતમી મળતા જામનગરની પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પીએસઆઈ એલ.જે. મિયાત્રાના વડપણ હેઠળ દોડી હતી. ત્યાંથી આ શખ્સની અટકાયત કરી લેવાઈ છે. આ આરોપી સામે વર્ષ ૨૦૨૦માં જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને વર્ષ ૨૦૨૧માં નવસારીના ગણદેવી પોલીસ સ્ટેશનમાં દારૃબંધી ભંગનો ગુન્હો નોંધાયેલો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh