Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મેયર, જિલ્લા પં.ના પ્રમુખ સહિતના હોદ્દેદારો માટેની સેન્સ લેવાશે

આગામી માસે નિરીક્ષકો આવશે

જામનગર તા. ર૯ઃ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના તથા જામનગર મહાનગરપાલિકામાં મેયર સહિતના હોદ્દેદારો માટે નવી નિમણૂક આગામી માસે કરવામાં આવનાર છે.

આ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જામનગરમાં મેયર સહિતના પદાધિકારીઓની સેન્સ માટે મહેન્દ્રભાઈ, અમોદ શાહ અને રક્ષાબેન બોરીયા સેન્સ લેવા આવશે.

જ્યારે જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટેની વરણી માટે નિરીક્ષક તરીકે બ્રીજેશભાઈ મેરજા, ગોવિંદભાઈ પટેલ અને વંદનાબેન મકવાણા નિરીક્ષક તરીકે સેન્સ લેવા જામનગર આવશે. જ્યારે જામનગરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હીંડોચા સહિતના ત્રણ નિરીક્ષકોને સેન્સ લેવા માટે અમરેલી જિલ્લામાં મોકલવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh