Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશને અર્પણ કરાશે રાખડીઃ ઠાકોરજી ધારણ કરશે યજ્ઞોપવિત

બુધવારે બળેવઃ પરંપરાગત ઉજવણીઃ ઉત્સવ ભોગ

દ્વારકા તા. ર૯ઃ દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા. ૩૦ ઓગસ્ટ ને બુધવારના બળેવ પૂર્ણિમા પર્વની પરંપરાગત્ રીતે ઉજવણી કરવામાં આવશે. બળેવ-પૂનમના પાવન દિવસે યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશને પૂજારી પરિવાર દ્વારા રાખડી અર્પણ કરવામાં આવશે, તેમજ મધ્યાહ્ન સમયે દ્વારકાધીશ રાજાધિરાજને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત પણ ધારણ કરાવવામાં આવશે. પૂજારી પરિવાર દ્વારા યજ્ઞોપવિતની અલાયદિ વિધિ કરાયા પછી ઠાકોરજીને યજ્ઞોપવિત તેમજ રાખડી અર્પણ કરવામાં આવશે.

દ્વારકાધીશ જગતમંદિરના પૂજારી પ્રણવભાઈ ઠાકર દ્વારા બળેવ પૂર્ણિમાની આ માહિતી આપતા જણાવ્યું હતું કે, મધ્યાહન સમયે ઠાકોરજીને યજ્ઞોપવિત અર્પણ કરાયા પછી ઉત્સવ ભોગ અર્પણ કરાશે જેમાં ઠાકોરજીને બાલભોગ ઉપરાંત વિશેષતઃ ગોળધાણા, શીરો તથા ગોળપાપડીનો ભોગ અર્પણ કરાશે અને સાથે જ ઠાકોરજીની આરતી પણ કરવામાં આવશે. ઠાકોરજીના યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જગતમંદિરના પૂજારી પરિવાર દ્વારા ઠાકોરજી સન્મુખ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh