Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શાલીગ્રામ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા જામસાહેબઃ તલસ્પર્શી નિરીક્ષણ કરી હૃદયસ્પર્શી વિગતો જાણી

જામનગરના જામસાહેબ હૃદયના નિદાન માટે તાજેતરમાં ખાનગી હોસ્પિટલમાં ગયા હતાં જ્યાં તેમને હૃદય સ્પર્શી વિગતો જાણવા મળી હતી.

જામસાહેબના હૃદયના નિદાન દરમિયાન શાલીગ્રામ હોસ્પિટલમાં ધાર્યા કરતા વધુ યોગ્યતા જણાતા તેઓએ હોસ્પિટલમાં વિવિધ વિભાગની મુલાકાત કરી હતી.

આ સમયે હોસ્પિટલના સંચાલક ડો. કેવીન દિનેશભાઈ વિરાણી તેમના પત્ની વિધિ વિરાણી સહિતના તબીબોની ટીમ સાથે જામસાહેબે અલગ અલગ તમામ વિભાગની મુલાકાત લીધી હતી.

જ્યાં અત્યાધુનિક ક્લાસ ૧૦૦ મોડ્યુલર ઓપરેશન થિયેટર, ન્યૂરો ક્રિટિકલ કેર માટે જામનગરની સૌ પ્રથમ ન્યૂરો માઈક્રોસ્કોપ, લેપ્રોસ્કોપ (દૂરબીન) ની સુવિધા, વર્લ્ડ ક્લાસ આઈસીયુ, ક્રિટિકલ કેર ડાયાલિસીસ, વેન્ટીલેટરની સગવડ, વગેરેનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું.

જામસાહેબને વિગતો આપતા શાલીગ્રામ મલ્ટીસ્પેશલ્યાલિટી મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે, અહિં ર૪ કલાક લેબોરેટરી અને સિટી સ્કેન, પેનલેસ ડિલિવરી, ચામડી, વાળ, દાંતના રોગનું નિદાન એમ મહત્તમ સગવડો ઉપલબ્ધ છે.

ખાસ કરીને કરોડરજ્જુ તથા બ્રેઈન ટ્યુમરના ઓપરેશન, બીપી, થાઈરોડ ડાયાબિટીસ જેવા રોગ હોય તે પ્રકારના મહિલા દર્દીઓની ક્રિટિકલ ડિલિવરી તેમજ આઈસીયુમાં લક્વો, હાર્ટ એટેક, પોઈઝનના કેસ માટેની ઈમરજન્સીની અહીં ઘણાં દર્દીઓ નિદાન મેળવી ચૂક્યા છે. અહીંના ઓર્થોપેડિક સર્જન ડો. અપૂર્વ ડોડિયા દ્વારા હાડકાના ક્રિટિકલ ઓપરેશન પણ થાય છે.

હોસ્પિટલને કમાણીનો સાધન તરીકે નહીં પણ લોકોની સુવિધા અને રાહતનું સ્થળ બની રહે તે હેતુથી અહિં દર શુક્રવારે ઓપીડી તદ્ન નિઃશુલ્ક કરવામાં આવે છે. આમ જામનગરની જનતા માટે આ હોસ્પિટલ સુવિધાનો સર્વોત્તમ વિકલ્પ બની રહેશે એમ જામસાહેબે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh