Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ રસ્તાના કામોમાં ડિમોલીશનની કામગીરીમાં ભેદભાવ અંગે ઉગ્ર પ્રત્યાઘાતો !

ગરીબોની જગ્યા પર જેસીબી ફેરવવાની કામગીરીના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા..

ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયા પાલિકા દ્વારા તાજેતરમાં બજાણા ભગવતી હોલ રોડ બનાવવામાં આવેલો જે મુુદ્દે પાલિકા દ્વારા કરાયેલ ડિમોલીશનના પડઘા દૂર દૂર સુધી પડ્યા છે તથા આ મુદ્દો ગાંધીનગર સુધી ગયો હતો.

આ રસ્તા પર બન્ને તરફ સરખુું દબાણ હટાવવાના બદલે એક તરફ વધુ દબાણ હટાવાના ગરીબ લોકોની જગ્યા કે જે અગાઉ સતીશ વર્માના ઐતિહાસિક મેગા ડિમોલીશનમાં પણ રાખી દેવાઈ હતી તે રસ્તો પહોળો કરવો છે તેમ કહીને સંકલનમાં ભાજપના નેતાઓની સાથે પાલિકા હોદ્દેદારો સાથે ૯-૧૦ મીટર જ પહોળો રસ્તો કરવા નક્કી થયેલું તે સંકલનનો ભંગ કરીને વધુ ડિમોલીશન કરાતા કેટલાક ગરીબોની જગ્યામાં બે-ત્રણ ફૂટ જ રહી છે !!

નવાઈની વાત છે કે હમણા રેલવે સ્ટેશન રોડ કે જયાં ખંભાળીયામાં સૌથી વધુ ટ્રાફિક રહે છે તે નવ મીટર પહોળો કરવાની જાહેરાત પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી તો પછી આ બજાણા રોડ કે જેમાં સ્ટેશન રોડનો ૨૦ ટકા ટ્રાફિક નથી ત્યાં ૧૦ મીટરથી વધુ બનાવવું કેમ પડયું ? કોઈને લાભ કરાવવા કે શું ?? ગરીબોના મતોનો આગામી સમયમાં ભાજપને મોટો ફટકો આ ડિમોલીશનથી પડવા સંભાવના ચર્ચાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh