Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-ઉદયપુરની ડાયરેકટ ફલાઈટ ૨૧ ઓગષ્ટથી નિયમિત ઉડાન ભરશે

શ્રીનાથદ્વારા જતા ભાવિકો માટે ખુશ ખબર

જયપુર તા.૧૦ઃ ર૧ ઓગષ્ટથી રાજકોટ-ઉદયપુરની ડાયરેકટ ફલાઈટ શરૃ થશે. જે સવારે ૮-૪૦ વાગ્યે રાજકોટથી ઉપડશે અને ૯-પપ કલાકે ઉદયપુર પહોંચશે.

સૌરાષ્ટ્રમાંથી ઉદયપુર ફરવા અને નાથદ્વારા દર્શન માટે જતાં લોકો માટે ખુશખબર છે. ઈન્ડિગો એરલાઈન્સે રાજકોટથી ઉદયપુરની નિયમિત ડાયરેકટ ફલાઈટ શરૃ કરવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ આગામી ર૧ ઓગષ્ટથી રાજકોટ અને ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સની નિયમિત ફલાઈટ શરૃ થઈ જશે. એરલાઈન્સ દ્વારા ફલાઈટનું શિડયુલ પણ જાહેર કરવામાં આવ્યું છે અને ટિકિટનું બુકિંગ પણ શરૃ કરી દેવામાં આવ્યું છે. રજાના દિવસોમાં સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઉદયપુર ફરવા જતાં હોય છે. આ ઉપરાંત ઉદયપુરથી નજીક આવેલા નાથદ્વારાના મંદિરમાં શ્રીનાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે.

સામાન્ય રીતે કારથી રાજકોટથી ઉદયપુર પહોંચવા ૧૦ કલાકથી વધુ સમય લાગતો હોય છે ઉપરાંત રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં હોવાથી લોકોને તકલીફનો સામનો કરવો પડે છે હવે ઈન્ડિગો એરલાઈન્સની રાજકોટથી ઉદયપુરની ડાયરેકટ ફલાઈટની શરૃઆત થતા લોકોને મોટી રાહત મળશે. મળતી માહિતી મુજબ આગામી ર૧ ઓગષ્ટથી રાજકોટ-ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સની નિયમિત ફલાઈટ શરૃ થઈ જશે. આ ફલાઈટ સવારે ૮-૪૦ વાગ્યે રાજકોટથી ઉપડશે અને ૯-પપ કલાકે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી આ ફલાઈટ સવારે ૧૦-૧પ વાગ્યે ઉપડી ૧૧-૩૦ કલાકે રાજકોટ પહોંચશે. શ્રદ્ધાળુઓ દર પૂનમે અને રજાના દિવસોમાં રાજકોટથી નાથદ્વારા દર્શને જતાં હોય છે તેમના માટે ફલાઈટ સુવિધારૃપ બની રહેશે. આગામી સપ્ટેમ્બરથી માર્ચ સુધીની ટુરિસ્ટ સિઝન ધ્યાને રાખી સુરતથી ઉદયપુરની પણ ડેઈલી ફલાઈટ શરૃ કરવાની યોજના હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh