Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીનાથજીની ઝાંખી, ધ્વજારોહણ, અન્નકોટ, રાસગરબા સહિતનું આયોજનઃ
ભાટિયા તા. ૧૦ઃ ભાટિયાના લક્ષ્મીનારાયણ મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીનાથજીની ઝાંખી, સત્સંગ, ધ્વજારોહણ, અન્નકોટ સહિત છ ધાર્મિક પ્રસંગો યોજાશે. ગામના સમાજના લોકોને હાજરી આપવા આયોજકો દ્વારા અનુરોધ કર્યો છે.
ભાટિયાના વર્ષો જુના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં તા. ૧૧ ને શુક્રવાર અગિયારસના દિવસે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગામના તમામ મહિલા સત્સંગ મંડળો તેમજ દરેક સમાજના બહેનો માટે વિવિધ ધાર્મિક છ પ્રસંગો સાંજે ૪-૩૦ વાગ્યાથી યોજાશે. જેમાં દીપ પ્રાગટ્ય, શિવલીંગની પૂજા વિધિ, મંદિર શિખરે ધ્વજા આરોહણ, અન્નકોટ દર્શન, ખંભાળિયાની પ્રસિદ્ધ શ્રીનાથજી કીર્તન કલાવૃંદ ગ્રુપ દ્વારા શ્રીનાથજીની ઝાંખી તથા મહિલાઓ માટે રાસ-ગરબા અને ફલહાર પ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક પ્રસંગમાં આર્થિક સૌજન્ય દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), સ્વ. વલ્લભભાઈ અરજણભાઈ સોનગરા, સ્વ. વનરાવન વેરસીભાઈ દત્તાણી, નુંઘાભાઈ ખીમાભાઈ કરંગિયા (પૂર્વ સરપંચ) દ્વારા આપવામાં આવશે.
આ કાર્યક્રમોમાં નગાભાઈ ગાધેર (તા.પં. પ્રમુખ), કે.વી.ભાઈ ચાવડા (ગામ-પંચાયત સરપંચ પ્રતિનિધિ), પી.એસ.આઈ. ઉષાબેન અખેડ, સતવારા જ્ઞાતિ આગેવાન ડી.એલ. પરમાર, આહિર યુવા આગેવાન લખમણભાઈ આંબલિયા, સતવારા યુવા આગેવાન વિઠ્ઠલભાઈ સોનગરા ખાસ પધારશે. કાર્યક્રમના સંયોજક નિલેશભાઈ કાનાણી તથા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગામના દરેક સમાજના લોકોને ઉપસ્થિત રહેવા લક્ષ્મીનારાયણ મંદિર કમિટીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial