Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

જામનગર તા. ૧૦ઃ જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સગંઠન દ્વારા સંસ્થાના બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન તા. ૩-૯-ર૦ર૩ દિને કરવામાં આવ્યું છે. એલકેજી/યુકેજીના તમામ બાળકો, ધો. ૧ થી ૯ ના ૮૦ ટકાથી વધુ માર્કસ તથા ધો. ૧૦ થી ૧ર માટે ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવનાર બાળકો સમારોહમાં ભાગ લઈ શકશે.

જે માટેના ફોર્મ (૧) ભાગ્યોદય મેડિકલ સ્ટોર્સ, અવંતિકા કોમ્પલેક્ષ, લીમડાલેન,  ક્રિકેટ બંગલા સામે (ર) શિવ આઈસક્રીમ પ/૧ પટેલ કોલોની, બ્રાહ્મણ બોર્ડીંગ સામે (૩) શ્રીજી એન્ટરપ્રાઈઝ જે/૮ નવો હુડકો - રણજીતનગર, હરસિદ્ધિ માતાજી મંદિર રોડ (૪) ડો. કિશન કારીયા - નંદનવન સોસાયટી, જામનગરમાંથી મેળવી માર્કસશીટ તથા વિગતો સાથે તે જ સ્થળે તા. ર૦-૮-ર૦ર૩ સુધીમાં પરત પહોંચાડી દેવાના રહેશે તથા ત્યાં સભ્યપદની ફી ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh