Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકા સામે કોર્ટના હુકમના તિરસ્કાર અંગે કરાશે કાર્યવાહી

રખડતા ઢોર અંગે કરાયો હતો હુકમઃ

ખંભાળિયા તા.૧૦ ઃ ખંભાળિયામાં રખડતા ઢોર અંગે અગાઉ અદાલતનો આદેશ હોવા છતાં તે પ્રકારની કાર્યવાહી નહીં કરાતા ખંભાળિયા પાલિકા સામે કોર્ટના હુકમના તિરસ્કાર અંગે કાર્યવાહી કરવા તજવીજ કરાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરમાં રખડતા ઢોર અંગે તાજેતરમાં વકીલ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવા ઠરાવ કરાયો હતો. તે પછી ખંભાળિયા એસડીએમની કોર્ટમાં પણ અગાઉ થયેલી સીઆરપીસી ૧૩૩ની પ્રક્રિયામાં કોર્ટના હુકમનો અમલ ન થયો હોય વાદી દ્વારા કોર્ટના તિરસ્કારની કાર્યવાહી માટે તજવીજ શરૃ થતાં ભારે ચર્ચા જાગી છે.

ખંભાળિયા પાલિકા સામે સીઆરપીસી કલમ ૧૩૩ મુજબ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકોને ઈજા થતાં કેટલાક કેસમાં ગંભીર ઈજાઓ તથા મૃત્યુ થયા હોય તેવી ફરિયાદ થતાં પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર દ્વારા ટૂંક સમયમાં ઢોર પકડવા તથા ડબ્બો રાખવા ખાતરી અગાઉ બે વખત અપાઈ હતી. તેમ ન થતાં હાલમાં રસ્તા પર ઢોર બેસતા બંધ થઈ જવાની સ્થિતિ થતાં ફરી આ મુદ્દો ઉખડ્યો છે.

અગાઉ પાલિકા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા ૫૦ જેટલા રખડતા ઢોરને ભાણવડ ગૌશાળા તથા અન્ય સ્થળે રાખવા વ્યવસ્થા કરાવી હતી તથા રસ્તા પર બેસતા ઢોર માટે ટીમો રાખી હતી પણ તે પછી અન્ય કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh