Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાંથી કહેવાતા આયુર્વેદિક પીણાંની ૩૧૩૦ બોટલ કરી લેવાઈ કબજે

બે સ્થળે પોલીસે પાડ્યા દરોડાઃ

જામનગર તા.૧૦ ઃ ખંભાળિયામાં એક દુકાનમાંથી ખંભાળિયા પોલીસ તથા એસઓજીએ કહેવાતા આયુર્વેદિક પીણાંની ૩૦૪૦ બોટલ કબજે કરી છે અને એક શખ્સની પાનની દુકાનમાંથી ૯૦ બોટલ ઝડપી લેવાઈ છે.

ખંભાળિયામાંથી કહેવાતા આયુર્વેદિક ૫ીણાંની બોટલ ભરેલો ટેમ્પો ઝડપી લેવાયા પછી કેફી પીણાંના આ પ્રકારના જથ્થાને પકડી પાડવા માટે પોલીસ હરકતમાં આવી છે. તે દરમિયાન દ્વારકા એસઓજીના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે ખંભાળિયામાં વાછરા દાદાના મંદિર પાસે આવેલી એક દુકાનમાંથી જુદી જુદી બે બ્રાંડની કુલ ૩૦૮૦ બોટલનો જથ્થો કબજે કર્યાે છે.

ખંભાળિયાના ધરમપુરમાં રહેતા સામત ખીમાભાઈ જામ નામના શખ્સની દુકાનમાંથી અંદાજે રૃા.૪ લાખ ૬૨ હજારની કિંમતની બોટલ ઝબ્બે લેવાઈ છે. જ્યારે જડેશ્વર રોડ પર પ્રકાશ કિશોરભાઈ આચાર્ય નામના શખ્સની પાનની દુકાનમાંથી ૯૦ બોટલ ખંભાળિયા તથા એસઓજીના સ્ટાફે પકડી પાડી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh